ગુજરાતમા 24 કલાકમાં 1325 પોઝિટિવ કેસ ,સંક્રમિતોનો આંકડો એક લાખને પાર

રાજ્યમાં કોરોનાનો કેર યથાવત્ રહ્યો છે. એક દિવસમાં નોંધાતા સંક્રમિતોનો આંકડો ચિંતાજનક છે. ગુજરાતમાં આજે નોંધાયેલા 1325 પોઝિટિવ કેસ સાથે રાજ્યમાં સંક્રમિતોનો આંકડો એક લાખને પાર થઈ ચુક્યો છે. જો કે સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા રાહત આપનારી છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં નોંધાતા પોઝિટિવ કેસના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 1325 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે અને 16 દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં કુલ 3064 દર્દીઓના મોત થયાં છે. તેમજ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1126 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયાં છે.

આજે નોંધાયેલા કુલ 1325 કેસમાંથી સુરત કોર્પોરેશન એરિયામાં 179 અને જિલ્લામાં 93 કેસ, અમદાવાદ કોર્પોરેશન એરિયામાં 150 અને જિલ્લામાં 16 કેસ, વડોદરા કોર્પોરેશન એરિયામાં 86 અને જિલ્લામાં 37 કેસ, રાજકોટ કોર્પોરેશન એરિયામાં 95 અને જિલ્લામાં 40 કેસ નોંધાયા છે.

રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 89 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 16,042 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 81,180 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 3064 થયો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.