ગુજરાતમાં કોરોનાના 24 કલાકમાં નોંધાયા 1320 નવા કેસ, 14ના મોત

રાજ્યમાં આજે સતત ચોથા દિવસે કોરોના પોઝિટિવ કેસનો આંકડો 1300ને પાર આવ્યો છે. રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 1 લાખથી પણ વધારે છે. જો કે રિકવરી રેટ રાહત આપનારો છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં નોંધાતા પોઝિટિવ કેસના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 1320 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે અને 14 દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં કુલ 3078 દર્દીઓના મોત થયાં છે. તેમજ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1218 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયાં છે.

આજે નોંધાયેલા કુલ 1320 કેસમાંથી સુરત કોર્પોરેશન એરિયામાં 181 અને જિલ્લામાં 90 કેસ, અમદાવાદ કોર્પોરેશન એરિયામાં 152 અને જિલ્લામાં 19 કેસ, વડોદરા કોર્પોરેશન એરિયામાં 89 અને જિલ્લામાં 36 કેસ, રાજકોટ કોર્પોરેશન એરિયામાં 105 અને જિલ્લામાં 57 કેસ નોંધાયા છે.

રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 92 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 16,127 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 82,398 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 3078 થયો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.