સરકાર પર ચિદંબરમનો વાર, ભારત એકમાત્ર એવો દેશ જ્યાં લોકડાઉન નિષ્ફળ રહ્યું

કોંગ્રેસના દિગ્ગદ નેતા પી. ચિદમ્બરમેં દેશમાં કોરોની સ્થિતિ અને વધી રહેલા કેસને લઈને મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસ નેતાએ એવો દાવો કર્યો કે, ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં લોકડાઉન રણનીતિનો લાભ ઉઠાવી ન શકાયું. આ સાથે જ તેમણે અંદાજ પણ લગાવ્યો છે કે, ભારતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા સપ્ટેમ્બર મહિનામાં 65 લાખ થઇ જશે.

લોકડાઉન નિષ્ફળ, સંક્રમિતોના આંકડા પર કરી આગાહી

તેમણે ટ્વીટ કરી કહ્યું કે, મે 30 સપ્ટેમ્બર સુધીમાં સંક્રમિતોની સંખ્યા 55 લાખ થવાનું અનુમાન લગાવ્યું હતું, હું ખોટો હતો. ભારત 20 સપ્ટેમ્બર સુધીમાં જ તે આંકડા પર પહોંચી જશે અને સપ્ટેમ્બરના અંત સુધીમાં સંક્રમિતોની સંખ્યા 65 લાખ સુધી પહોંચી શકે છે.

તેમણે કહ્યું કે, ભારત એકમાત્ર એવો દેશ છે જે લોકડાઉનની રણનીતિનો લાભ ઉઠાવતું નથી જોવા મળી રહ્યું, વડાપ્રધાન મોદીએ 21 દિવસમાં કોરોના વાઈરસને હરાવવાનું વચન આપ્યું હતું અને તેમણે જણાવવું જોઈએ  કે કેમ ભારત નિષ્ફળ રહ્યું જ્યારે અન્ય દેશો સફળ થતાં જોવા મળી રહ્યાં છે.

અર્થતંત્રની સ્થિતિને લઈને નાણાં મંત્રાલય પર સાધ્યું નિશાન

અન્ય એક ટ્વિટમાં તેમણે અર્થવ્યવસ્થા મુદ્દે નાણા મંત્રાલય પર નિશાન સાધતા કહ્યું કે, તેમની પાસે વર્ષ 2020-21ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં થયેલ અભૂતપૂર્વ નકારાત્મક વૃદ્ધિનો કોઈ જ જવાબ નથી. પરંતુ ભારતનાં લોકોને ભ્રમિત કરવા અને ફરીથી વિકાસની રફતાર પકડવાના દાવાની જૂની રમત સાથે સામે આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.