સુરતમાં આરોગ્ય ખાતાની ઘોર બેદરકારી આવી સામે, એક જ વ્યક્તિના અલગ અલગ રિપોર્ટ

કોરોનાના દર્દીઓના આંકડામાં અને મોતના આંકડામાં અનેક વિસંગતતા હોવાની ફરિયાદો વખતોવખત ઉઠતી આવી છે તેવામાં સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગનું અજબ ગજબ ખાતું બહાર આવ્યું છે જે સાંભળીને તમે પણ ચોંકી જશો. સુરતના મગદલ્લા ગામમાં રહેતા સુનિલ પ્રજાપતિને કામ અર્થે બહાર ઘણું ફરવાનું થતું હોવાથી તેમણે કોર્પોરેશનમાં ચાલતા કોરોનાના ચેકીંગમાં પોતાના કોરોના રિપોર્ટની તપાસ કરવાનો વિચાર કર્યો.

આ માટે તેઓ સૌથી પહેલા ઉધના ઝોનના હેલ્થ સેન્ટરમાં ગયા ત્યાં ચેકઅપ કરનાર દ્વારા પૂછાયેલા આરોગ્યલક્ષી સવાલોના જવાબ તેમણે આપ્યા. ડાયાબીટીસ, સુગર જેવી કોઈ તકલીફ સુનિલભાઈને નહોતી તેમને કોરોનાના લક્ષણ પણ નહોતા. આ બધી જ બાબતો તેમણે જણાવી હતી. જોકે જ્યારે રિપોર્ટ આવ્યો ત્યારે તેઓ ચોંકી ગયા કે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

જોકે નવાઈની વાત તો એ પણ છે કે પહેલા આવેલા પોઝિટિવ રિપોર્ટને આધારે કોઈ જ તકલીફ કે લક્ષણો ન હોવા છતાં તેમને પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા હોમ ક્વોરેન્ટાઇન કરી દેવાયા છે તેમણે ઘર નજીક આવતા ધન્વંતરી રથમાં પણ ચેકીંગ કરાવતા ત્યાં પણ રિપોર્ટ નેગેટિવ જ આવ્યો છે. જો કે પાલિકાએ હોમ ક્વોરેન્ટાઇન કરી દેતા તેમની મુશ્કેલીમાં વધારો થયો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.