ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 1329 કેસ, 16ના મોત, 1336 સ્વસ્થ થયા

રાજ્યમાં કોરોનાનો કેર યથાવત્ રહ્યો છે. એક દિવસમાં નોંધાતા સંક્રમિતોનો આંકડો આજે ફરી 1300 કરતા વધારે છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં નોંધાતા પોઝિટિવ કેસના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 1329 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે અને 16 દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં કુલ 3152 દર્દીઓના મોત થયાં છે. તેમજ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1336 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયાં છે.

આજે નોંધાયેલા કુલ 1329 કેસમાંથી સુરત કોર્પોરેશન એરિયામાં 174 અને જિલ્લામાં 92 કેસ, અમદાવાદ કોર્પોરેશન એરિયામાં 149 અને જિલ્લામાં 22 કેસ, વડોદરા કોર્પોરેશન એરિયામાં 86 અને જિલ્લામાં 40 કેસ, રાજકોટ કોર્પોરેશન એરિયામાં 94 અને જિલ્લામાં 60 કેસ નોંધાયા છે.

રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 94 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 16,234 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 88,815 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 3152 થયો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.