સુરત રત્નકલાકાર વિકાસ સંઘના પ્રમુખ જયસુખ ગજેરાએ કરી આત્મહત્યા

હીરાઉદ્યોગના રત્નકલાકારોના પ્રશ્નો માટે છેલ્લાં ઘણાં સમયથી લડત ઉપાડનારા સુરત રત્નકલાકાર વિકાસ સંઘના પ્રમુખ જયસુખ ગજેરાએ કામરેજ તાપી નદીના પુલ પરથી કુદીને આપઘાત કર્યો. તાપી નદીમાંથી ફાયર બ્રિગેડ દ્વારા તેમનો મૃતદેહ શોધી કાઢવામાં આવ્યો છે.

આપઘાત કયા કારણોસર કરવામાં આવ્યો છે તે હજી સુધી જાણી શકાયું નથી ઘરેથી લાપતા થયા બાદ પરિવાર દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. તેમના ચંપલ અને બાઇક કામરેજ પુલ ઉપરથી મળી આવ્યા હતા.

રત્નકલાકાર વિકાસ સંઘના પ્રમુખ જયસુખ ગજેરાનો મોબાઇલ ફોન ગઈકાલે રાત્રીના સાડા આઠ પછી બંધ થઈ ગયો હતો. આજે સવારે તેમનો મૃતદેહ કામરેજ નજીકના તાપી નદીમાંથી કઠોદરા ગામેથી મળી આવ્યો હતો. આપઘાતને લઈને ભારે તર્કવિતર્ક થઈ રહ્યાં છે.

જયસુખ ગજેરાના મૃત્યુની ખબર બહાર આવતા રત્નકલાકારોમાં પણ ભારે શોક વ્યાપી ગયો છે. રત્ન કલાકાર વિકાસ સંઘના પ્રમુખ તરીકે તેઓ છેલ્લાં દસ વર્ષથી સક્રિય હતા. જયસુખ ગજેરા રત્નકલાકારોના નાનાં-મોટા પ્રશ્નોના નિરાકરણ માટે હંમેશા આગળ રહેતાં હતાં અને રત્નકલાકારોને ન્યાય અપાવતાં હતાં.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.