ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 1332 પોઝિટિવ કેસ, 90000થી વધારે દર્દીઓ થયા સ્વસ્થ

રાજ્યમાં કોરોનાનો કેર યથાવત્ રહ્યો છે. એક દિવસમાં નોંધાતા સંક્રમિતોનો આંકડો આજે ફરી 1300 કરતા વધારે છે. જ્યારે રાજ્યમાં 90 હજારથી વધારે દર્દીઓએ કોરોના સામે જંગ જીતીને સ્વસ્થ થયાં છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં નોંધાતા પોઝિટિવ કેસના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 1332 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે અને 15 દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં કુલ 3167 દર્દીઓના મોત થયાં છે. તેમજ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1415 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયાં છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં 90,230 દર્દીઓ સ્વસ્થ થયાં છે.

આજે નોંધાયેલા કુલ 1332 કેસમાંથી સુરત કોર્પોરેશન એરિયામાં 176 અને જિલ્લામાં 102 કેસ, અમદાવાદ કોર્પોરેશન એરિયામાં 148 અને જિલ્લામાં 19 કેસ, વડોદરા કોર્પોરેશન એરિયામાં 84 અને જિલ્લામાં 40 કેસ, રાજકોટ કોર્પોરેશન એરિયામાં 96 અને જિલ્લામાં 54 કેસ નોંધાયા છે.

રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 91 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 16,136 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 90,230 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 3167 થયો છે.

રાજકોટમાં 100 ડોકટરો આવ્યા કોરોનાની ઝપેટમાં : IMAનું રેડ એલર્ટ

રાજકોટમાં કોરોનાના કેસો આજે 4100 ઉપર પહોંચ્યા છે અને રોજ 25થી 30 લોકોના કોરોનાથી મૃત્યુ થઈ રહ્યા છે અને સ્થિતિ ઘણી ગંભીર બની રહી છે ત્યારે કોરોના સહિત રોગોની સારવાર કરતા શહેરના 125 જેટલા ડોક્ટરોને કોરોના પોઝિટિવ આવ્યા બાદ આઇઆઇએ દ્વારા શહેરના તબીબો માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.