Early Wakeup Tips : સવારે વહેલાં ઉઠવામાં પડે છે મુશ્કેલી તો ફોલો કરો આ ટિપ્સ!

મોડા સુધી સૂઇ રહેવું અને 8 કલાકની ઊંઘ લેવી બધાને પસંદ હોય છે. પરંતુ જો સવારે વહેલાં ઉઠવાની વાત આવે તો ઘણા બધા લોકોને સવારે વહેલાં ઉઠવાની આદત નથી હોતી. એવા લોકોને સવારે વહેલાં ઉઠવું ખૂબ જ મુશ્કેલ બનતું હોય છે ત્યાં સુધી કે કેટલાક લોકો એલાર્મ વાગ્યા પછી પણ ઉઠી શકતા નથી. સવારે વહેલાં ન ઉઠી શકવાનો અર્થ છે કે તમારી ઊંઘ પૂરી થઇ શકી નથી અથવા તો તમે પૂરતી ઊંઘ લઇ શકતા નથી.. પછી તમે કામકાજ કરતા હોય કે નહીં, દરેકનો સવારે ઉઠવાનો પોતાનો એક સમય હોય છે. પરંતુ જો આપણે સવારે વહેલાં ઉઠી શકીશું નહીં તો આપણે બધા કામ સમયથી કેવી રીતે પૂરા કરી શકીશું અથવા તો બીજા કામ માટે સમય કેવી રીતે નિકાળીશું. તો જાણો કેવી રીતે અને કઇ આદતોથી તમે સમય પર સૂઇ શકો છો અને સવારે વહેલાં ઉઠી પણ શકો છો.

બેડટાઇમ રૂટીન

– ઊંઘવાના 6 કલાક પહેલાં કોઇ પણ એવા પદાર્થનું સેવન ન કરો જેમાં કૈફીન હોય.

– ઊંઘવાના ઓછામાં ઓછા 2-3 કલાક પહેલા કોઇ પણ એવા મશીન અથવા ડિવાઇસનો ઉપયોગ ન કરશો જેની બ્લ્યૂ લાઇટ તમારી આંખો પર પડે. ઊંઘ ન આવવાની આ એક મોટું કારણ પણ છે.

– ઊંઘતા પહેલા ખુદને થોડોક આરામ આપો. પુસ્તકો વાંચો અથવા તો કોઇ સારા શૉવર જેલથી બાથ લો. એવું કોઇ પણ કામ ન કરશો જે તમારા શરીરને થકાવી દે અથવા તો ઊંઘવા ન દે.

– દિવસભર ઓછું જ ઊંઘવાનો પ્રયાસ કરો.

ઊંઘવાનો સમય નક્કી કરો

સૌથી પહેલા તમે જાણી લો કે કેટલા કલાકની ઊંઘ તમારા માટે જરૂરી છે. મોટાભાગના લોકો 7-9 કલાકની ઊંઘ લેતાં હોય છે. એવામાં આ કલાકો અનુસાર પોતાનું દિવસભરનું કામ નક્કી કરો. ધારો કે, તમારે સવારે 7 વાગ્યે ઉઠવાનું છે તો તમારે રાત્રે 11 વાગ્યા સુધી સૂઇ જવું જોઇએ. તમારા સૂઇ જવાનો સમય માત્ર વીકડેઝ માટે જ નહીં પરંતુ વીકેન્ડ માટે પણ નક્કી કરો.

આળસના કારણે અલાર્મને સ્નૂઝ ન કરવુંં

મોટાભાગના લોકોની આદત હોય છે કે તેઓ સવારે જલ્દી ઉઠવા માટે એલાર્મ મુકે છે, પરંતુ આળસના કારણે અલાર્મને બંધ નથી કરતાં. અલાર્મ વાગ્યા બાદની 10 મિનિટ સૂઇ જવાની આદત સારી તો લાગે છે, પરંતુ આ તમારા સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. જ્યારે તમે થોડુક-થોડુક કરીને સૂઇ જાઓ છો ત્યારે તમારી આ આદત વધુ આળસ પેદા કરે છે અને તમને વધુ ઊંઘ આવવા લાગે છે. એટલા માટે જેવું સવારે તમારું એલાર્મ વાગે ત્યારે તેને બંધ કરીને તરત જ તમારે ઉઠી જવું જોઇએ.

જમવાની આદતો

જમવામાં હેલ્ધી વસ્તુઓ જ ખાવી જોઇએ, કારણ કે આપણું ભોજન આપણા એનર્જી લેવલને ખૂબ જ અસર કરે છે. જો આપણે અસ્વસ્થ વસ્તુઓ ખાઇશું તો તેનાથી આપણી અંદર આળસ પેદા થશે. તમારા ભોજનમાં ફળ, શાકભાજી, ઓમેગા-3થી ભરપૂર પોષક તત્ત્વ અને અનાજ ચોક્કસથી હોવા જોઇએ.

એક્સરસાઇઝ

દરરોજ સવારે ઉઠીને વ્યાયામ કરવું ન માત્ર તમારા શરીરને સ્વસ્થ બનાવે છે અને તમારું વજન ઘટાડે છે પરંતુ તેનાથી તમને ઊંઘ પણ સારી આવે છે. જે લોકોને અનિંદ્રા, વધારે વિચારવાની, અને ડિપ્રેશનની ફરિયાદ છે તેમના પર પણ કસરતની સકારાત્મક અસર થાય છે. જો તમે ડાન્સ કરો છો તો તે પણ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે, કારણ કે તેનાથી પણ એક પ્રકારે તમારા શરીરની એક્સરસાઇઝ થઇ જાય છે. એક્સરસાઇઝ આપણા શરીરનું એનર્જી લેવલ વધારે છે.

દિવસની રોશનીમાં બહાર નિકળો

જો તમે આખો દિવસ ઘરમાં જ રહો છો તો સવારે ઉઠીને બહાર ચાલવા માટે નિકળો, પોતાની બાલ્કનીમાં બેસો અને તમારા ઘરનાં પડદાંને પણ થોડાક સમય માટે ખોલીને રાખો. તેનાથી તમને બહારની રોશની મળશે, જે તમારા શરીર માટે ખૂબ જ જરૂરી છે. તેનાથી તમારો મૂડ પણ સારો રહેશે અને તમારું એનર્જી લેવલ પણ વધશે.

ડૉક્ટર્સની સલાહ લો

જો આ તમામ આદતો હોવા છતાં તમને સવારે ઉઠવામાં મુશ્કેલી સર્જાય છે તો તેના માટે કોઇ ડૉક્ટરની સલાહ લો. આ ઉપરાંત તમારા જીવનમાં કોઇ પરેશાની છે, જેના કારણે તમે સૂઇ શકતા નથી તો પોતાની નજીકના કોઇ વ્યક્તિને પોતાની સમસ્યા જણાવો, જેનાથી તે તમને આ સમસ્યામાંથી બહાર નિકાળવામાં મદદ કરી શકે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.