આંખોની બળતરા અને ડ્રાયનેસને દૂર કરીને આંખોની રોશની વધારશે આ ઉપાય

આજના સમયમાં કલાકો સુધી કૉમ્પ્યૂટર પર બેસીને કામ કરવું અથવા તો ફોનનો સતત ઉપયોગ આંખોને નુકશાન પહોંચાડે છે. કૉમ્પ્યૂટર પર સતત કામ કરવાને કારણે આપણે આપણી પાંપળો ઘણી ઓછીવાર જપકાવીએ છીએ, જેના કારણે આંખો શુષ્ક થવા લાગે છે. વધુ સમય સુધી ફોનનો ઉપયોગ કરવાથી અથવા કૉમ્પ્યૂટરની સામે બેસીને કામ કરવાથી તેની લાઇટની અસર આંખો પર પડે છે, જેનાથી આંખને થાક લાગવા લાગે છે અને તેના કારણે ક્યારેક ક્યારેક બળતરા પણ થવા લાગે છે. આંખોની બળતરા દૂર કરવા માટે તમે ઘરે રહીને જ ઉપાય કરી શકો છો જેનાથી તમારી આંખોને બળતરા અને ડ્રાયનેસમાં રાહત મળશે, આ સાથે જ આંખોની રોશની પણ વધશે.

આંખોની કસરત કરો

જે રીતે શરીરના દરેક અંગને કસરતની જરૂર હોય છે તેવી જ રીતે આંખોએ પણ કસરત કરવી જોઇએ. તેનાથી તમારી આંખોમાં બ્લડ સર્ક્યુલેશન યોગ્ય રીતે થાય છે. તેના માટે સૌથી પહેલા સીધા બેસીને સામેની તફર જુઓ. ત્યારબાદ એકવાર જમણી અને એકવાર ડાબી તરફ જુઓ અને આ જ રીતે પોતાની આંખોને બંને દિશામાં ફેરવતા રહો. પહેલા પોતાની આંખોને ક્લોકવાઇઝ દિશામાં ફેરવો ત્યારબાદ એન્ટીક્લોકવાઇઝ દિશામાં ફેરવો. પોતાની આંખોને આરામ આપવા માટે વચ્ચે વચ્ચે જપકાવી પણ શકો છો. આ કસરત કેટલીક સેકેન્ડ સુધી કરો. પોતાની પાંપળોને 20-30 સેકેન્ડ માટે જપકાવો.

આમળા આંખોની સમસ્યાઓને દૂર કરે છે

આમળા વિટામિન સીનો સારો સ્તોત્ર છે. તેમાં એન્ટીઑક્સિડેન્ટ અને કેટલાય પોષક તત્ત્વ મળી આવે છે. આંખોની રોશની વધારવા અને સમસ્યાઓને દૂર કરવા માટે આમળા ખૂબ જ ફાયદાકારક હોય છે. અડધા કપ પાણીમાં થોડોક આમળાનો જ્યુસ મિક્સ કરીને દિવસમાં બે વાર સેવન કરો.

વરિયાળીમાંથી મળી આવતા એન્ટી-ઑક્સીડેન્ટ આંખો માટે ફાયદાકારક હોય છે

વરિયાળી કેટલીય રીતે ફાયદાકારક માનવામાં આવે છે. તેમાંથી મળી આવતા એન્ટીઑક્સિડેન્ટ આંખોમાં મુખ્ય રીતે થતા રોગ મોતિયાની શક્યતા ઓછી કરે છે. વરિયાળીના સેવનથી આંખો સ્વસ્થ રહે છે. એટલા માટે મોટી વરિયાળી, ખાંડ અને બદામને એક સાથે મિક્સ કરીને ગ્રાઇન્ડરમાં નાંખીને દળી લો. દરરોજ સૂતાં પહેલાં એક ગ્લાસ દૂધની સાથે એક ચમચી વરિયાળીનો પાઉડર લો. લગભગ 40 દિવસ સુધી લીધા બાદ તમને તેનો લાભ જોવા મળશે.

આંખોની રોશની વધારવા માટે બદામનું સેવન કરો

બદામ ખાવાથી યાદશક્તિ તેજ થાય છે. તેમાંથી મળી આવતા ઓમેગા 3 ફેટી એસિડ, વિટામિન ઈ અને એન્ટી ઑક્સીડેન્ટ તમારી આંખોની રોશનીને વધારવામાં મદદ કરે છે. એટલા માટે રાત્રે પાણીમાં બદામ પલાળીને રાખી મુકો. તમે તેને આમ જ ખાઇ શકો છો અથવા તો દૂધમાં નાંખીને પણ ખાઇ શકો છો કેટલાક મહિનાઓ સુધી આમ કરવાથી તમારી આંખોની રોશનીમાં સુધારો આવશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.