રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 1310 પોઝિટિવ કેસ, 15ના મોત સાથે કુલ મૃતકઆંક 3478 થયો

દેશમાં દિવસેને દિવસે કોરોના સંક્રમણ તેજ બની રહ્યું છે. દરરોજ નોંધાતા પોઝિટિવ કેસનો આંકડો ચિંતાજનક છે. ભારતમાં કોરોના વાયરસના કેસ 64 લાખ નજીક પહોંચી ચૂક્યા છે, જ્યારે દેશમાં કોરોનાથી દર્દીઓના મોતનો આંકડો 1 લાખ નજીક પહોંચી ચૂક્યો છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં નોંધાતા પોઝિટિવ કેસના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા.

રાજ્યમાં કોરોના વાયરસના છેલ્લા 24 કલાકમાં 1310 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1250 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 15 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3478 પર પહોંચી ગયો છે. ગુજરાતમાં આજ દિવસ કુલ 1,19,815 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે.

આજે સમગ્ર ગુજરાતમાં કુલ 56,732 ટેસ્ટ કરવામાં આવ્યા છે તો આજ દિવસ સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 45,31,498 લોકોના ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 5,98,294 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાંથી 5,97,869 લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે તો 425 લોકોને ફેસીલીટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યા છે.

આજે નોંધાયેલા કુલ 1310 કેસમાંથી સુરત કોર્પોરેશન એરિયામાં 177 અને જિલ્લામાં 101 કેસ, અમદાવાદ કોર્પોરેશન એરિયામાં 173 અને જિલ્લામાં 25 કેસ, વડોદરા કોર્પોરેશન એરિયામાં 87 અને જિલ્લામાં 42 કેસ, રાજકોટ કોર્પોરેશન એરિયામાં 106 અને જિલ્લામાં 45 કેસ, જામનગર કોર્પોરેશન એરિયામાં 64 અને જિલ્લામાં 22 પોઝિટિવ કેસ નોંધાયા છે.

રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 84 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 16,678 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 119,815 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 3478 થયો છે. રાજ્યમાં રિકવરી રેટ 85.55% છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.