અભિનેત્રી સના ખાને મનોરંજન ઉદ્યોગને તિલાંજલિ આપી, સોશ્યલ મિડિયા પર કરી જાહેરાત

અભિનેત્રી સના ખાને મનોરંજન ઉદ્યોગને તિલાંજલિ આપવાની જાહેરાત કરી હતી. સોશ્યલ મિડિયા પર એણે એક લાંબી લચક પોસ્ટ મૂકી હતી જેમાં આ જાહેરાત કરી હતી.

સના ખાને લખ્યું હતું કે ભાઇઓ અને બહેનો, હું ઘણાં વરસોથી ફિલ્મ સૃષ્ટિમાં છું. મને જે સંપત્તિ, નામ અને લોકપ્રિયતા મળી છે એ માટે હું આપ સૌનો જાહેરમાં આભાર માનું છું. છેલ્લા થોડા સમયથી મને સતત એવું લાગી રહ્યું હતું કે આ દુનિયામાં આવવાનો મર્મ માત્ર પૈસા કે નામ કમાવાનો હોતો નથી. શું માણસની એ ફરજ નથી કે એ નિઃસહાય અને જરૂરતમંદ લોકોની મદદ કરે. ગમે ત્યારે મોત આવી શકે છે. મર્યા પછી માણસ શું કરી શકવાનો હતો. મારે હવે માનવતાની સેવા કરવી છે એટલે હું મનોરંજન ઉદ્યોગને તિલાંજલિ આપી રહી છું.

એણે વધુમાં લખ્યું કે મારા મનમાં જાગેલા સવાલોનો જવાબ મેં મારા ધર્મ પાસેથી સમજવાની કોશિશ કરી હતી. મને સમજાયું કે મૃત્યુ પછીની સ્થિતિને સુધારવા માટે જ આ જીવનમાં કશુંક કરવાનું હોય છે. માણસે પોતાને પેદા કરનારા સર્જનહારના આદેશ મુજબ જીવન ગુજારવું જોઇએ. એટલે હું હવે નવું જીવન શરૂ કરવાની છું.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.