કોહલી વગર ઓસ્ટ્રેલિયા આસાનીથી ભારત સામેની ટેસ્ટ સિરિઝ જીતી જશે

ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાના પ્રવાસે પહોંચી ચુકી છે.ટીમને 15 દિવસ ક્વોરેન્ટાઈન થવાનુ છે અને એ પછી ટી-20 મેચોથી ઓસ્ટ્રેલિયાના પ્રવાસનો પ્રારંભ થશે.સૌથી છેલ્લા ચાર ટેસ્ટની સિરિઝ રમાશે.જેમાં વિરાટ કોહલી માત્ર પહેલી ટેસ્ટ રમીને અંગત કારણસર ભારત પાછો ફરશે.ભારતીય ક્રિકેટ બોર્ડે આ માટે મંજૂરી પણ આપી દીધી છે.

જોકે ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોનનુ કહેવુ છે કે, કોહલી પોતાના પહેલા બાળકના જન્મને ધ્યાનમાં રાખીને ભારત પાછો ફરવાનો છે.આ એક યોગ્ય નિર્ણય છે.જેનો અર્થ એ છે કે, ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સિરિઝ આસાનીથી જીતી જશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.