ખેડૂતો દિલ્હી સીલ કરાવીને જ જંપશે ? રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ ખુલ્લો ટેકો જાહેર કર્યો

– સોશ્યલ મિડિયા પર લોકોને સાથ આપવાની અપીલ કરી

પાટનગર નવી દિલ્હીની લગભગ બધી સરહદો પર અડ્ડો જમાવનારા પંજાબ અને હરિયાણાથી આવેલા હજ્જારો ખેડૂતો દિલ્હીને સીલ કરાવીનેજ જંપે એવી શક્યતા હતી.

અત્યાર સુધી આ મામલા અંગે માત્ર નિવેદનો કરી રહેલા કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ આજે સવારે ખેડૂતોના આંદોલનને ખુલ્લો ટેકો જાહેર કરતાં સોશ્યલ મિડિયા પર લોકોને અપીલ કરી હતી કે ખેડૂતો સાથે થઇ રહેલા સરમુખત્યાર જેવા વર્તનનો વિરોધ કરવામાં ખેડૂતોને સાથ આપવા આગળ આવો.

એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ રાહુલે ‘સ્પીકપ ફોર ફાર્મર્સ’ નામે એક સામાજિક આંદોલન શરૂ કર્યું હતું. તેમણે સોશ્યલ મિડિયા પર લોકોને ખુલ્લી અપીલ કરી હતી કે જગતના તાત ગણાયેલા ખેડૂતોને ન્યાય અપાવવા તમે આગળ આવો. સ્પીકપ ફોર ફાર્મર્સના માધ્યમ દ્વારા અમારી સાથે જોડાઓ. રાહુલે વધુમાં લખ્યું કે પહેલાં  મોદી સરકારે ખેડૂતોને બરબાદ કરવા પહેલાં કાળા કૃષિ કાયદા ઘડ્યા અને હવે ખેડૂતો પર લાઠીઓ અને ટીઅર ગેસ વર્ષાવવામાં આવી રહ્યાં છે.

પ્રિયંકા ગાંધીએ સરકાર પર આક્રમણ કરતાં કહ્યું કે કહેવાય કૃષિ  કાયદો પરંતુ લાભ થશે મોદીના અબજોપતિ દોસ્તોને. ખેડૂતો સાથે વાટાઘાટ કર્યા વિના કૃષિ કાનૂન ઘડી કઇ રીતે શકાય એવો સવાલ તેમણે કર્યો હતો. આવા કાયદાથી ખેડૂતોને નુકસાન થઇ રહ્યું હોય એવી જોગવાઇ શી રીતે ઉમેરી શકાય. સરકારે ખેડૂતોની વાત સાંભળવીજ પડશે. આવો, અમારી સાથે જોડાઓ અને ખેડૂતોને તેમનાં હિત મેળવવાની લડતમાં અમને સાથ આપો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.