પશ્ચિમ બંગાળમાં NRCનો અમલ કરાવવામાં આવશે નહિ : મમતા બેનરજી

– કોર્પોરેટ ગૃહોને કૃષિપેદાશો મેળવવાની ફાવટ રહે માટે મોદીએ નવા કૃષિ કાયદા ઘડયા

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા  બેનરજીએ કહ્યું કે એમની સરકાર  પશ્ચિમ બંગાળમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (એનઆરસી) અથવા નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (એનપીઆર)નો અમલ થવા દેશે નહિ. રાજ્યમાં રહેતા બધા જ લોકો દેશના નાગરિકો છે, જે સ્થિતિમાં કોઇ  પણ વ્યક્તિ ફેરફાર કરી શકે  એમ નથી.  મુખ્યપ્રધાને સિટિઝનશીપ અમેન્ડમેન્ટ એકટ (સીએએ)નો ઉપયોગ કરીને ભાજપ વિભાજનનું રાજકારણ  ખેલતો હોવાનો આક્ષેપ કર્યો છે.

એમણે અત્રે બાંગ્લાદેશ સાથેની સરહદને અડીને આવેલા પશ્ચિમ બંગાળના ઉત્તર ૨૪ પરગણાઝ જિલ્લામાં જાહેર સભાને સંબોધતા જણાવ્યું કે એનઆરસી અને એનપીઆર એ લોકોને રાજ્યબહાર ધકેલવાની ભાજપની ચાલ છે.

પશ્ચિમ બંગાળના ભાજપ પ્રભારી કૈલાસ વિજયવર્ગીયે ગયા સપ્તાહે કહ્યું કે કેન્દ્ર પશ્ચિમ બંગાળના મોટી સંખ્યામાં શરણાર્થીઓને નાગરિકત્વ આપવા માગતું હોઇ આગામી જાન્યુઆરીથી સીએએનો અમલ મોટા ભાગે થશે.

મમતાએ ફરી એકવાર  પુનરોચ્ચાર કર્યો હતો કે તેઓ પશ્ચિમ બંગાળને ગુજરાત બનવા દેશે નહિ. ભાજપે એના વિભાજક રાજકારણથી દેશમાં વિનાશ વેર્યો છે.

એમણે આક્ષેપ કર્યો કે દેશના કોર્પોરેટ ગૃહો એમની ઇચ્છા મુજબ કૃષિપેદાશો હસ્તગત કરી શકે એ માટે વડાપ્રધાને ખેડૂતોના હિતવિરોધી કૃષિ કાયદા ઘડયા છે.

મમતા બેનરજીએ કહ્યું કે એમ્ફાન વાવાઝોડાના અસરગ્રસ્તોને નાણાકીય રાહત પૂરી પડાઇ હોવા સંબંધી ખોટા આક્ષેપો ભાજપ કરી રહ્યો હોવાનું  એના પર દોષારોપણ કર્યું છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.