બાલાકોટમાં ફરી શરુ થઈ ગયા આંતકી કેમ્પો, ભારતીય વાયુસેનાએ એરસ્ટ્રાઈકમાં તબાહ કર્યા હતા

પુલવામાના આતંકી હુમલામાં ભારતના સુરક્ષાદળોના જવાનો શહીદ થયા બાદ ભારતીય વાયુસેનાએ એરસ્ટ્રાઈક કરીને પાકિસ્તાનના બાલાકોટમાં ચાલતા આતંકી કેમ્પો તબાહ કરી નાંખ્યા હતા.

હવે બાલોકોટમાં આતંકી સંગઠન જૈશ એ મહોમ્મદનો કેમ્પ ફરી શરુ થઈ ગયો છે.જ્યાં આતંકીઓને પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યુ છે.આ આતંકીઓને સ્વાભાવિક રીતે બાદમાં ભારતમાં ઘૂસાડવાની પાકિસ્તાનની યોજના હશે.આ આતંકીઓનો એક વિડિયો પણ સામે આવ્યો છે.જેમાં આતંકી સંગઠનના લોકો હિન્દુ વિરોધી અને પીએમ મોદી વિરોધી નારા લગાવતા સંબળાય છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે આ નારા લાગી રહ્યા હોય છે ત્યારે એક વ્યક્તિ પોતાની ઓટોમેટિક રાયફલમાંથી અંધાધૂધ ગોળીઓ વરસાવતો પણ જોવા મળે છે.અહીંયા લાંબા સમયથી આતંકીઓને ટ્રેનિંગ અપાઈ રહી હોવાનુ કહેવાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.