આલિયા ભટ્ટ અને રણબીર કપૂર, સગાઈ કરી શકે છે, એવા અહેવાલો પ્રાપ્ત થયા

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર  સગાઈ કરી શકે છે, તેથી બંને પરિવારો તરફથી મહત્વપૂર્ણ નિર્ણય લીધા બાદ પરિવારના સભ્યો ત્યાં પહોંચી રહ્યા છે.

બોલીવૂડની હસ્તીઓ આ દિવસોમાં જયપુર અને રણથંભોર આસપાસના વિસ્તારોમાં ગુલાબી ઠંડીની મજા માણવા માટે આવી પહોચ્યા છે. ત્યારે કપૂર અને ભટ્ટ પરિવાર પણ રણથંભોરમાં છે. તેઓ ત્યાં અમન-એ-ખાસ રિસોર્ટમાં રોકાઈ રહ્યા છે.

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ રાજસ્થાન આવતાની સાથે આ અટકળોએ ઘણી મજબૂતી મેળવી લીધી છે. તે એટલા માટે પણ છે કે રણવીર સિંહ આલિયાની ખૂબ નજીક છે.

આલિયાએ સંભવત રણવીર સિંહ અને દીપિકા પાદુકોણને તેમના જીવનના ખાસ પ્રસંગ માટે બોલાવ્યા છે.નિતુ કપૂરની પુત્રી રિદ્ધિમા પણ પરિવાર સાથે આવી પહોંચી છે.

રણથંભોર લગ્ન સ્થળ પણ બની શકે છે.
એવી અટકળો પણ લગાવવામાં આવી રહી છે કે આલિયા અને રણબીર તેમના લગ્ન અથવા સગાઈ સમારોહ માટે રણથંભોર આવ્યા છે. રણથંભોર રોડની ફાઇવ સ્ટાર હોટેલમાં આ ફિલ્મ સ્ટાર્સ છે.

તે વિશ્વનું સૌથી જાણીતું લગ્ન સ્થળ છે. આ હોટલમાં પોપસિંગર્સ કેટી પેરી અને રસેલ બ્રાન્ડના લગ્ન પણ થયાં છે. ત્યારથી, આ હોટલ મોટા ખ્યાતનામ લગ્ન અને મોંઘા લગ્ન માટે સલામત સ્થળ માનવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.