રોહિત શર્મા પાછો ફર્યો ટીમમાં,જે ટીમનો વાઇસ કેપ્ટન છે….

. સિડની ટેસ્ટમાંથી ઑપનિંગ બેટ્સમેન મયંક અગ્રવાલને બહાર કરવામાં આવ્યો છે. ટીમને મજબૂતી આપવા માટે રોહિત શર્માને સામેલ કરવામાં આવ્યો છે.

સિડની ટેસ્ટમાંથી ઑપનિંગ બેટ્સમેન મયંક અગ્રવાલને બહાર કરવામાં આવ્યો છે. ટીમને મજબૂતી આપવા માટે રોહિત શર્માને સામેલ કરવામાં આવ્યો છે.

. વિકેટકીપર તરીકે ઋષભ પંત પ્લેઇંગ ઇલેવનમાં સામેલ છે. ઉલ્લેખનીય છે કે આઈપીએલ દરમિયાન ઇજા થવાના કારણે રોહિત શર્મા ઑસ્ટ્રેલિયાના પ્રવાસે સીમિત ઑવરોની સિરીઝ અને પહેલી 2 ટેસ્ટમાં રમી શક્યો નહોતો. મયંક અગ્રવાલને તેની જગ્યાએ સામેલ કરવામાં આવ્યો હતો. બંને ટેસ્ટમાં અગ્રવાલની બેટિંગ સારી ના રહી, તે 17, 9, 0 અને 5 રન જ બનાવી શક્યો હતો.

સિડની ટેસ્ટ માટે ભારતીય ટીમ

આંજિક્ય રહાણે (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, હનુમા વિહારી, ઋષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, નવદીપ સૈની

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.