રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની મુલાકાત બાદ, પ્રદેશ સંગઠન કરવામાં આવ્યુ જાહેર,પાટીલે સંગઠનમાં મહ્ત્વ આપ્યું, પાટીદાર નેતાઓને

રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની મુલાકાત બાદ પ્રદેશ સંગઠન જાહેર કરવામાં આવ્યુ છે. પાટીલે સંગઠનમાં પાટીદાર નેતાઓને મહત્વ આપ્યુ છે .આ ઉપરાંત પ્રદેશ માળખામાં નવા ચહેરાઓને સ્થાન અપાયુ છે. એક વ્યક્તિ-એક હોદ્દાની નીતિ અપવનાવતાં કેટલાંય ધુરંધરોના પત્તા કપાયાં છે.

નવા માળખામાં સાત ઉપપ્રમુખોની નિયુક્ત કરવામાં આવી છે જેમાં ગોરધન ઝડફિયાને યથાવત રાખવામાં આવ્યાં છે. આ ઉપરાંત જયંતિ કવાડિયા,મહેન્દ્રસિંહ સરવૈયા,નંદાજી ઠાકોર, કોશલ્યાકુંવરબા પરમાર, જનકભાઇ બગદાણાવાળા, વર્ષાબેન દોશીનો સમાવેશ કરાયો છે. પ્રદેશ મહામંત્રી તરીકે ભીખુ દલસાણિયાને ય યથાવત રખાયાં છે.

આ વખતે પાટીલે પાટીદાર નેતાઓને વધુ મહત્વ આપ્યુ છે કેમ કે, પ્રદેશ માળખામાં સૌરાષ્ટ્રમાંથી જયંતિ કવાડિયા ઉપરાંત ગોરધન ઝડફિયાનો સમાવેશ કરાયો છે જયારે ઉત્તર ગુજરાતમાંથી રજની પટેલને મહામંત્રી બનાવાયાં છે. મહેશ કસવાલા ઉપરાંત રઘુભાઇ હુંબલ, પંકજ ચૌધરીની પ્રદેશ માળખામાં નવા ચહેરા તરીકે એન્ટ્રી થઇ છે.

મહેન્દ્ર સરવૈયા, નંદાજી ઠાકોર , કૌશલ્યકુંવરબા પરમાર , જનકભાઇ બગદાણાવાળા , વર્ષાબેન જોશી , મહેશ કસવાલા, રઘુભાઇ હુંબલ , પંકજ ચૌધરી , શિતલબેન સોની ,ઝવેરભાઇ ઠકરાર , જહાનવીબેન વ્યાસ , કૈલાશબેન પરમાર

આઇ.કે.જાડેજા , અમિત ઠાકર, કે.સી.પટેલ , જશુબેન કોરાટ , રમીલા બારા,મનસુખ માંડવિયા, શબ્દશરણ બ્રહ્મભટ્ટ, હર્ષદગિરી ગોસ્વામી, રાજેશ ચુડાસમા ,ભરતસિંહ પરમારની નવા માળખામાંથી બાદબાકી કરાઇ છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.