સુરતના કતારગામમાં ચોથા માળેથી ફેંકાયેલી સીડી માથે પડતા બ્રેનડેડ થયેલા યુવકના અંગોના દાનથી પાંચને નવજીવન

સુરતઃ કતારગામ રામજીનગર સોસાયટીમાં મકાનમાલિક સાથે ભંગારના વેપારીએ 40 ફુટથી ઊંચાઈ પરથી 50 કિલોનો વજનદાર લોંખડનો દાદર નીચે ફેંકતા આરટીઓ એજન્ટનો ભાઈ બાઇક લઈ ત્યાંથી પસાર થતો હતો. જેના પર આ દાદર પડતા તેને માથામાં ગંભીર ઈજા થતા તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનેબ્રેનડેડજાહેર કરતાપરિવારજનોએ યુવકના અંગોનું દાન કરી પાંચને નવું જીવન આપ્યું હતું.

ઘટનાની વિગત પ્રમાણે સોસાયટીમાં રહેતા વિષ્ણુ પંડયાએ મકાનમાં ગોડાઉન બનાવ્યું હતું. જે મકાનમાં મકાનમાલિક ભંગારનો સામાન આપવા માટે ભંગારના વેપારી અને અન્ય એક મજૂરને લઈને 15મી તારીખે સવારે આવ્યા હતા. ભંગારના વેપારી સાથે મકાનમાલિકે ટેરેસ પરથી લોંખડનો દાદર નીચે ફેંક્યો હતો. તે સમયે ત્યાંથી આરટીઓ એજન્ટનો ભાઈ જીતેન્દ્ર દેસાઇ(ઉ.વ.25) ત્યાંથી ઝોમેટોમાં નોકરી પર જવા માટે નીકળ્યો ને દાદર જીતેન્દ્રના માથા પર પડતાં ગંભીર ઈજા થઈ હતી. ત્યારબાદ બ્રેનડેડ જાહેર કરાયો હતો. જેથી મકાનમાલિક વિષ્ણુ પ્રસાદ પંડ્યા તથા ભંગારના વેપારી આમીન રજાક શેખની ગંભીર બેદરકારી સામે આવતા કતારગામ પોલીસે આઈપીસી કલમ 304, 308 અને 114 મુજબનો ગુનો નોંધી ધરપકડ કરી છે.

ખાનગી હોસ્પિટલમાં જીતેન્દ્રને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં સીટી સ્કેન કરાવતા મગજમાં ડાબી બાજુના હાડકામાં ફ્રેકચર તેમજ મગજમાં સોજો અને લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું. ત્યારબાદગત રોજ બ્રેનડેડ જાહેર કરાયો હતો. જેથી ડોનેટ લાઈફનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પરિવારજનોએ જણાવ્યું હતું કે, જીતેન્દ્ર બ્રેનડેડ છે અને તેનું મૃત્યુ નિશ્ચિત જ છે ત્યારે તેના અંતિમ સંસ્કાર કરીને શરીર બળીને રાખ થઇ જાય તેના કરતા તેના અંગોનું દાન કર્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.