ભારતીય ખેડૂત યૂનિયનના,રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈત, કરશે ફરિયાદ

દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઈને હવે જીંદની કંડેલા ખાપના ઐતિહાસિક ચબૂતરા પર બુધવારે રણનીતિ બનશે. જેમાં ભારતીય ખેડૂત યૂનિયન(ભાકિયૂ)ના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈત પણ ફરિયાદ કરશે.

ઉલ્લેખનીય છે કે કંડેલા વર્ષ 2002માં વીજળી બિલ માફી આંદોલનને લઈને ન્યૂઝમાં રહી છે. ગત 26 જાન્યુઆરીએ દિલ્હી લાલ કિલ્લા પર ખેડૂત યુનિયન અને શીખોના પ્રતીક ઝંડાને લહેરાવાથી નબળા પડી રહેલા ખેડૂત આંદોલનને પુનર્જીવિત કરવામાં કંડેલા ગામમાં જ જાન્યુઆરી રાતે જીંદ ચંદીગઢ રાષ્ટ્રીય રાજમાર્ગ જામ કરી આંદોલન ફરી ઉભુ કરવામાં  મહત્વની ભૂમિકા નિભાવી હતી.

કંડેલા ખાપે એક વાર ફરી આંદોલનને તાકાત આપવા માટે 3 ફેબ્રુઆરીએ રાકેશ ટિકૈતને ખાપ ઐતિહાસિક ચબૂતરા પર પંચાયતમાં બોલાવ્યા છે.

 વીજળીના બિલોને લઈને થયેલા આંદોલનમાં કંડેલા કેન્દ્રમાં રહ્યું

ઉલ્લેખનીય છે કે 2002માં વીજળીના બિલોને લઈને થયેલા આંદોલનમાં કંડેલા કેન્દ્રમાં રહ્યું હતુ. જેમાં અનેક અધિકારીઓને બંધક પણ બનાવવામાં આવ્યા હતા.

એક વાર ફરી કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીમાં ચાલી રહેલા આંદોલનને તાકાત આપવામાં કંડેલામાં મહત્વપૂર્ણ પંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે.

કંડેલા ખાપના પ્રધાન ટેક રામ કંડેલાએ જણાવ્યું કે બુધવારે કંડેલામાં આયોજિત પંચાયતમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈત પહોંચશે. આ પંચાયતમાં રાજ્યના લગભગ 50 ખાતોના પ્રતિનિધિઓ હાજરી આપશે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.