આજથી શરૂ થઈ રહી છે ગુપ્ત નવરાત્રી, જાણો ગુપ્ત નવરાત્રીનું, મહત્વ..

આજથી શરૂ થઈ રહી છે ગુપ્ત નવરાત્રી. ત્યારે આવો જાણીએ કે નવરાત્રી વર્ષમાં કેટલીવાર આવે છે અને તેને કયા કયા નામથી ઓળખવામાં આવે છે સાથે જ આ નવરાત્રીનું શું છે મહત્વ

વર્ષમાં ચાર વાર નવરાત્રી આવે છે. મહા, ચૈત્ર, અ।ષાઢ, અને આસો મહિનામાં એમ નવરાત્રી આવે છે. જેમાંથી અષાઢ અને પોષ અને મહા મહિનાની નવરાત્રીને ગુપ્ત નવરાત્રીકહે છે. ચૈત્ર મહિનાની નવરાત્રીને વસંત નવરાત્રી કહેવામાં આવે છે. જ્યારે આસો મહિનાની નવરાત્રીને શારદિય નવરાત્રી કહે છે.

જ્યારે તંત્ર-મંત્રની આરાધના માટે મહા અને અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રીમાં પૂજન કરવામાં આવે

ગુપ્ત નવરાત્રી સાધના અને તંત્ર સાધના માટે મહત્વપૂર્ણ છે, તેથી આ નવરાત્રીમાં દસ મહાવિદ્યાની પૂજા અને ઉપાસના મહત્વપૂર્ણ છે.

ગુપ્ત નવરાત્રિ દરમિયાન, ઘણા સાધકો મા કાલી, તારા દેવી, ત્રિપુરા સુંદરી, ભુવનેશ્વરી, માતા ચિન્નામસ્તા, ત્રિપુરા ભૈરવી, મા ધ્રુમાવતી, માતા બગલામુખી, માતંગી અને કમલા દેવીની મહાવિદ્યા (તંત્ર સાધના) માટે પૂજા કરે છે.

આ સમય દરમિયાન લોકો લાંબા સમય સુધી ધ્યાન કરીને દુર્લભ શક્તિઓ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે.

આ સમયે, રુદ્ર, વરુણ, યમ વગેરેનો ક્રોધ પૃથ્વી પર વધવા લાગે છે, માતા દુર્ગાની ગુપ્ત નવરાત્રીમાં આ ઉપદ્રવઓથી બચાવવા માટે પૂજા કરવામાં આવે છે.

ભગવાન વિષ્ણુ શયનકાળના સમયગાળાની મધ્યમાં છે, જ્યારે દેવ શક્તિ નબળાઇ થવા લાગે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.