મહારાષ્ટ્રમાં કોરોના સંકટ,એકસાથે 55 કેસ આવતા ખળભળાટ

મહારાષ્ટ્રમાં જાલના મંદિરની આસપાસ રહેનારા 55 લોકો કોરોના સંક્રમિત થતાં પ્રસિદ્ધ મંદિર બંધ કરાયું છે.

મંદિરની આસપાસ રહેનારા 55 લોકો કોરોના વાયરસ સંક્રમિત થયા છે. આ પછી મંદિરને બંધ કરી દેવાયું છે.

મહારાષ્ટ્રના જાલનાના પ્રશાસને અસ્થાયી રીતે એક મંદિરને બંધ કર્યું છે

અધિકારીએ રવિવારે કહ્યું કે જયવાડીના મંદિરનું નામ જાલીચા દેવ છે. આ મહાનુભાવ હિંદુ પંથના અનુયાયીઓની આસ્થાનું મોટું કેન્દ્ર છે.

મંદિરની આસપાસના 55 લોકો કોરોના સંક્રમિત થયા છે. આ પછી મંદિરે બંધકરવાનો નિર્ણય લેવાયો છે. ગામવાસીઓ અને મંદિરની સમિતિના સભ્યોની તપાસ કરવા માટે સ્વાસ્થ્ય સમિતિની ટીમ પણ તૈયાર કરાઈ છે.

રવિવારે મુખ્યમંત્રીએ કહ્યું કે સ્થિતિ બગડી તો ફરીથી લોકડાઉન કરીશું. આ સાથે મંગળવારથી રાજકીય, ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો પર પણ રોક લગાવી છે.

કેરળ, મહારાષ્ટ્ર, પંજાબ, છત્તીસગઢ અને એમપીમાં કેસ વધી રહ્યા છે અને અહીં કડક નિયમો લાગૂ કરાયા છે તો યવતમાલ, અકોલામાં લોકડાઉન લાગૂ કરાયું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.