સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી,ગુજરાત વિરોધીઓને ગાલ ઉપર, વધુ એક પડ્યો તમાચો

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે સુપ્રીમકોર્ટના ચુકાદાને આવકારતા જણાવ્યું હતું કે, એક જ દિવસે મતગણતરી હાથ ધરવાના ગુજરાત હાઇકોર્ટે અરજદારની રીટ પીટીશન સામે ચૂંટણી પંચ દ્વારા નિયત થયેલ સમય પત્રક મુજબ જ મતગણત્રી હાથ ધરવાના ચુકાદો આપેલ હતો.

સુપ્રીમે કોર્ટ પણ અરજદારની રીટ પીટીશન ફગાવી ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને ગ્રાહ્ય રાખ્યો છે, તેને અમો આવકારીએ છીએ, અને સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી ગુજરાત વિરોધીઓને ગાલ ઉપર વધુ એક તમાચો પડ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.