દેશની કેટલીક ખાનગી કંપનીઓ, પોતાના કર્મચારીઓને લગાવશે,પોતાના ખર્ચે કોરોનાની વેક્સિન

દેશની કેટલીક ખાનગી કંપનીઓ પોતાના કર્મચારીઓને પોતાના ખર્ચે કોરોનાની વેક્સિન લગાવશે. સૂત્રો અનુસાર ઈંફોસિસ, Accenture, ITC જેવી દિગ્ગજ કંપનીઓ સામેલ છે. ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોવિશિલ્ડ અને ભારત બાયોટેકના કોવેક્સિન સ્થાપિત કરવામાં આવી રહ્યા છે.

દેશની અગ્રણી આઈટી કંપની ઇન્ફોસિસે ભારતમાં તેના તમામ કર્મચારીઓને રસી આપવાની જાહેરાત કરી છે, જેનો ખર્ચ ખુદ ઇન્ફોસીસ ઉઠાવશે. સૂત્રો અનુસાર, આઇટી કંપની ઇન્ફોસીસ અને સોફ્ટવેર કન્સલ્ટિંગ ફર્મ એક્સેન્ટરે તેમના તમામ કર્મચારીઓને રસી અપાવવાનો નિર્ણય લીધો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.