જલગાવમાં 3 દિવસ માટે જનતા કર્ફ્યૂ,જિલ્લા મેજિસ્ટ્રેટે આપ્યો આ આદેશ

મહારાષ્ટ્રના જલગાવમાં 3 દિવસ માટે જનતા કર્ફ્યૂ લગાવવાનો આદેશ આપ્યો છે. કોરોનાના વધતા મામલાને જોતા જિલ્લા મેજિસ્ટ્રેટે આ આદેશ આપ્યો છે.

જનતા કર્ફ્યૂ રાતના 8 વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધી લાગુ રહેશે.  આદેશ અનુસાર 11 માર્ચથી 15 માર્ચ સુધી આ કર્ફ્યૂ જારી રહેશે.

રાઉતને કહ્યું કે ઈમરજન્સી સેવાઓ, એમપીએસસી અને અન્ય વિભાગોની પરીક્ષાઓને આ પ્રતિબંધોમાંથી રાહત રહેશે. તેમણે કહ્યું કે આ આદેશોનું પાલન સુનિશ્વિત થાય એની જવાબદારી નગર પાલિકા અને સ્થાનીય પોલીસની રહેશે.

સ્વાસ્થ્ય વિભાગના અનુસાર મહારાષ્ટ્રમાં ગત 24 કલાકમાં કોરોના 9927 નવા મામલા સામે આવ્યા છે.

મહારાષ્ટ્રમાં અત્યાર સુધી કોરોના સંક્રમણના કુલ 22 લાખ 38 હજાર 398 મામલા સામે આવી ચૂક્યા છે. આ ઉપરાંત કુલ 20 લાખ 89 હજાર 294 લોકો સાજા થયા છે. 52556 લોકોએ આ વાયરસના કારણે જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં હજું પણ 95, 322 કેસ સક્રિય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.