રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા, ગુજરાત કૉલેજ કેમ્પસની લાઇબ્રેરીનું નામ બદલીને, ‘વીર શહીદ વિનોદ કિનારીવાલા પુસ્તકાલય’ કરવાનો લેવાયો છે નિર્ણય

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત કૉલેજ કેમ્પસની લાઇબ્રેરીનું નામ ‘SYDENHAM LIBRARY’થી બદલીને ‘વીર શહીદ વિનોદ કિનારીવાલા પુસ્તકાલય’ કરવાનો નિર્ણય લેવાયો છે.

ભારતીય સ્વતંત્રતા સેનાની વીર શહીદ વિનોદ કિનારીવાલા અમદાવાદની ગુજરાત કૉલેજના વિદ્યાર્થી હતા. જયારે ચોટીલા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું જન્મ સ્થળ છે.

મળેલી દરખાસ્તના અનુસંધાને ઉપરોક્ત બંને સંસ્થાઓનું નામાભિધાન કરવામાં આવ્યું હોવાનું શિક્ષણ વિભાગના નાયબ સચિવની યાદીમાં જણાવાયું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.