જેતલસરના જયેશ બાદ રાજકોટના મુકેશે પણ એક દીકરીની પજવણી શરૂ કરી છે. રાજકોટના મુકેશ વાઝાએ ધો-9ની વિદ્યાર્થીનીની પજવણી કરી છે.
પરિવારે આરોપીથી કંટાળી વિદ્યાર્થીનીને દાદાને ઘરે મોકલી આપી હતી. આરોપી મુકેશ વાઝા વિદ્યાર્થીનીના દાદાના ઘરે પણ પહોંચ્યો છે.
જેતલસર ગામના પાણીના ટાકા પાસે રહેતા કિશોરભાઈ રૈયાણીની દીકરી શ્રુષ્ટિ કિશોરભાઈ રૈયાણીની તેના ઘરે જ જયેશ ગિરધર સરવૈયાએ 28 જેટલા છરીના ઘા મારીને હત્યા કરી નાખી હતી. સાથે મરનાર શ્રુષ્ટિના ભાઈ હર્ષને પણ છરીના ઘા મારીને ઘાયલ ર્ક્યો હતો. ઘટનાના પગલે જેતપુર તાલુકા પોલીસ ગણતરીની કલાકોમાં જ જયેશ ગિરધરને પકડી પડ્યો હતો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.