ભાજપ સાંસદોને પહેલા પણ રજા મામલે, પીએમ આપી ચૂક્યા છે ઠપકો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ભાજપ સંસદીય દળની બેઠકમાં સંબોધન કર્યું હતું જેમાં પીએમ મોદીએ ભાજપના સાંસદોને પોતાનો સંદેશ આપ્યો.

10મી માર્ચે પીએમ મોદીસાંસદોને કહ્યું હતું કે બધા જ સાંસદોએ સત્રમાં હાજ રહેવું જોઈએ. તેમણે કહ્યું હતું કે આ યોગ્ય નથી કે પાર્ટીના સાંસદોને વારંવાર હાજર રહેવા માટે કહેવું પડે.

નોંધનીય છે કે આજે જે બેઠક કરવામાં આવી હતી તે પહેલા 17મી માર્ચે યોજાવાની હતી પરંતુ હિમાચલ પ્રદેશના ભાજપ સાંસદ રામ સ્વરૂપ શર્માના નિધન બાદ તે બેઠક રદ કરી દેવામાં આવી હતી.

2014માં 26મી મેના રોજ તેઓ દેશના વડાપ્રધાન બન્યા હતા. પીએમ મોદી ક્યારેય રજા નથી લેતા તે મુદ્દે અગાઉ ઘણીવાર ઘણા નેતાઑએ વખાણ પણ કર્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.