કોરોનાની સ્થિતિ, વ્યવસ્થાની સમીક્ષા કરાશે,બેઠકમાં અનેક મુદ્દાઓ અંગે પણ થશે ચર્ચા

કોરોનાની સ્થિતિ, વ્યવસ્થા અને રસીકરણ અંગે સમીક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણી શાળા-કોલેજો મામલે અને પરીક્ષાઓ યોજવા અંગે માર્ગદર્શન આપશે.

રાજ્યમાં સરકારી યોજનાઓના અમલીકરણ પર ચર્ચા કરાશે. મનપા વિસ્તારોમાં રાત્રી કર્ફ્યુ અને પ્રતિબંધો અંગે પણ સમીક્ષા થશે.

નિરાશ્રય લોકોને પણ કોરોના વેક્સિન આપવામાં આવશે. વેક્સિન માટે આધાર કાર્ડની આવશ્યકતા નહીં રહે. અત્યાર સુધીમાં 34.94 લાખ લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો છે.

1255 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 2,77,603 કોરોના મુક્ત થયાં છે. તો  4 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.