બોલિવૂડની ઝગમગાટભરી દુનિયાની પાછળ, છુપાયેલા છે ઘણા કાળા સત્ય

બોલિવૂડની આ ઝગમગાટભરી દુનિયાની પાછળ ઘણા કાળા સત્ય છુપાયેલા છે, સુશાંતના નિધનથી બોલીવુડ પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. બોલિવૂડમાં ઘણીવાર અભિનેત્રી સમક્ષ કામના બદલે ગંદી માંગ મુકવામાં આવે છે.

સુશાંતના નિધન બાદ અંકિતા લોખંડે ખુલીને સામે આવી હતી.

અંકિતાના કહેવા પ્રમાણે, કોઈ ફિલ્મમાં રોલ આપવાને બદલે નિર્માતા તેની સાથે સૂવાની ડિમાન્ડ કરી હતી. આટલું જ નહીં, જ્યારે તે ફિલ્મોમાં પહોંચી ત્યારે પીઢ અભિનેતાનો ઇરાદો અને તેની સ્પર્શ કરવાની રીત યોગ્ય નહોતી લાગતી.

વ્યક્તિએ મને કહ્યું કે તમારે કોમ્પ્રોમાઇઝ કરવું પડશે.આના પર મે તેમને કહ્યું, મને કહો, મારે કેવુ કોમ્પ્રોમાઇઝ કરવુ પડશે? શું મારે ડિનર પાર્ટીમાં જવાનું છે? ફિલ્મના નિર્માતાઓ શું ઇચ્છે છે? તો જવાબ હતો કે તમારે તેની સાથે સૂવુ પડશે.

ઘણીં વખત સોશિયલ મીડિયા પર અંકિતાના પોસ્ટ પર એક્ટરના ફેન્સ ખરી ખોટી લખે છે. ઘણી વખતતો અંકિતને બ્લેમ કરવામાં આવે છે કે એમણે સુશાંતને છોડી દીધો. હવે અંકિતાએ એક ઇન્ટરવ્યૂમાં ખુલીને વાત કરી. અંકિતાએ સાથે જ બ્રેકઅપ પર પણ વાત કરી.

અંકિતાએ એ પણ કહ્યું કે તે સુશાંતને બ્લેમ નથી કરી રહી, પરંતુ તેઓ ટ્રોલિંગથી ખુબ પરેશાન છે. અંકિતાએ કહ્યું, આજે લોકો મને આવીને બોલી રહ્યા છે. તે છોડ્યો સુશાંતને. હું એમને પૂછવા માંગુ છું કે તમે આ કેવી રીતે કહી શકો ? કોઈને પણ મારી વાત ખબર છે. સુશાંત… હું કોઈને બ્લેમ નથી કરી રહી.

અંકિતએ કહ્યું કે, મારા માટે મુવ ઓન કરવું સરળ ન હતું. પરંતુ મારો પરિવાર મારી સાથે હંમેશા હતો. મારુ જીવન પૂર્ણ થઇ ગયું હતું. હું ખતમ થઇ ગઈ હતી. મને સમજ ન પડી રહી હતી કે શું કરવાનું છે

સુશાંત અને હું હવે અચાનક મેડ ફોર ઈચ અધર થઇ ગયા. ત્યારે ક્યાં હતા આ લોકો ? આ વસ્તુઓથી પરેશાની એટલા માટે થાય છે કારણ કેહવે સુશાંત રહ્યા નથી અને મારા મનમાં એમના માટે કઈ નથી.’

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.