બાળકોની આરોગ્ય તપાસણી સંદર્ભે, વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે, જણાવ્યું કે……

શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત બાળકોની આરોગ્ય તપાસણી સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, અમારી સરકાર બાળક માતાના ગર્ભમાં હોય ત્યારથી અંતિમ શ્વાસ સુધી તેના આરોગ્યની સંપૂર્ણ ચિંતા કરે છે.

બાળક ગુરુકુળમાં અભ્યાસ કરતું હોય કે મદ્રેસામાં અભ્યાસ કરતું હોય, તમામ બાળકોને શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમમાં આવરી લેવામાં આવશે.

જન્મથી બહેરા-મૂંગા બાળકો માટે કોક્લીયર ઇમ્પ્લાન્ટ સર્જરી હૃદય-કિડની કે કેન્સર ઉપરાંત થેલેસેમિયા જેવી ગંભીર બીમારીઓ કે જેનો ખાનગી હોસ્પિટલમાં અંદાજે 20 થી 25 લાખ સુધીનો ખર્ચ થઇ જાય છે તેવી ખર્ચાળ સારવાર પણ વિનામૂલ્યે આપી બાળકોને સ્વસ્થ કરવામાં આવે છે.

આ બાળકોની સારવારમાં પૂરી દવાઓ, યંત્રો, સાધન સામગ્રી, લોહી-ઇન્જેક્શનો સહિતની તમામ આનુષાંગિક ચીજવસ્તુઓ વિનામૂલ્યે આપી જ્યાં સુધી બાળક સંપૂર્ણ સ્વસ્થ ન થઇ જાય, ત્યાં સુધી અમારી સરકાર દ્વારા સતત ચિંતા કરી સારવાર આપવામાં આવે છે.

નીતિન પટેલે વડોદરા જિલ્લાની માહિતી આપતા ઉમેર્યુ કે, વડોદરામાં છેલ્લાં બે વર્ષમાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત 6,53,362 બાળકોની આરોગ્ય તપાસણી કરવામાં આવી છે. જેમાં 203 બાળકોને હૃદયની, 6 બાળકોને કિડનીની અને 1 બાળકને કેન્સરની સારવાર આપવામાં આવી છે

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.