વર્ષ 2020માં આ બિમારીથી 24 લોકો ગ્રસ્ત હતા,વર્ષ 1996માં સૌથી પહેલા સીજેડીનો મામલો સામે આવ્યો હતો

બીએસઈ એટલે કે બોવાઈન ર્સ્પોજીફોર્મ ઈનસેફેલોપેથી(બીએસઈ) નામની આ બિમારી ગાયમાં જોવા મળે છે.

આ દિમાગની બિમારી ગાયના સેંટ્રલ નર્વસ સિસ્ટમને અસર કરે છે. આ ગાય પ્રાયોન નામના પ્રોટિનથી ફેલાય છે. આના ચાલતા ગાય નર્વસ અથવા હિંસક થઈ શકે છે.

સીબીસીની રિપોર્ટ મુજબ આ રહસ્યમય બિમારીનો પહેલો કેસ 2015માં સામે આવ્યો હતો. આ બાદ આ કેસ સતત વધી રહ્યા છે. વર્ષ 2020માં આ બિમારીથી 24 લોકો ગ્રસ્ત હતા. અને આ વર્ષ 6 કેસ સામે આવ્યા છે. કેનેડા શહેર બર્ટરેન્ડના મેયર વોન ગોડિને આ બિમારી વિશે વાત કરતા કહ્યું કે કોરોના બાદ જ લોકો આ પ્રકારની બિમારીઓને લઈને વધારે ચિંતા વ્યક્ત કરવા લાગ્યા છે.

કેનેડાના ન્યુ બ્રુનસ્વીક શહેરના હેલ્થ અધિકારીઓ આ પ્રકારને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે કે કેવી રીતે 43 લોકોને આ બિમારીથઈ. હાલ સીજેડીની કોઈ સારવાર નથી. આ બિમારીથી 77 લોકો માર્યા ગયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.