કોંગ્રેસ દ્વારા થતી તમામ ગતિવિધિઓની મને ખબર પડશે,પૂરા ખંતથી પ્રચારમાં જોડાવ

ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ગૃહમંત્રી  પ્રદીપસિંહ જાડેજાએ ઉપસ્થિત ભાજપના કાર્યકરોને જીતના ઉત્સાહના અતિરેકમાં ન આવવાની સલાહ આપી એવું પણ જણાવ્યું હતું કે હું ગૃહમંત્રી છું માટે મને કોંગ્રેસ આ વિસ્તારમાં જે કાંઈ પણ કરશે મને ખબર પડશે માટે તે અનુસાર વ્યૂહરચના ચૂંટણીની ઘડવાની છે.

આ પ્રસંગે ઉપસ્થિત ભાજપના કાર્યકરોને મંત્રીએ જણાવ્યું હતું કે હું રાજ્યનો ગૃહમંત્રી છું એટલે આ વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા થતી તમામ ગતિવિધિઓની મને ખબર પડશે જે અંગે તમને અવગત કરાવતો રહીશ, ત્યારે કોંગ્રેસ દ્વારા અગાઉ કરવામાં આવેલા આક્ષેપને સીધી રીતે કબૂલાત કરતા હોય તેવું ગૃહરાજ્યમંત્રીનું નિવેદન સામે આવ્યું હતું.

તો બીજી તરફ ભાજપને આ બેઠક પર જીતાડવા માટે તનતોડ મહેનત કરવા માટે સાથે સાથે લોકો સમક્ષ રાજ્ય સરકારના વિકાસના કામો તેમજ સરકાર દ્વારા બનાવવામાં આવેલા નવા કાયદાઓની માહિતીથી વાકેફ કરવા માટે પણ અપીલ કરી હતી.

કોંગ્રેસ પક્ષ પર પણ ગૃહમંત્રી દ્વારા પ્રહારો કરવામાં આવ્યા હતા. કોંગ્રેસની ગતિવિધિઓની માહિતી મને મળતી રહેશે તેવા નિવેદન અંગે પૂછતા તેમણે જણાવ્યું હતું કે અમે ક્યારેય સરકારી તંત્રનો ક્યારેય દુરુપયોગ કરતા નથી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.