નાગપુરની હોસ્પિટલમાં થયા દાખલ,શુક્રવારે રિપોર્ટ આવ્યો હતો પોઝિટિવ

મોહન ભાગવતને કોરોના થયો છે. તેઓ સંક્રમિત થયા બાદ ઉપચારને માટે નાગપુરની હોસ્પિટલમાં દાખલ થયા છે.

RSSએ ટ્વિટ કરીને કહ્યું છે કે ડોક્ટર મોહન ભાગવતનો કોરોના ટેસ્ટ કરાયો હતો. ડોક્ટર ભાગવતના કોરોના ટેસ્ટની રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડોક્ટર ભાગવતના કોરોના ટેસ્ટનો રિપોર્ટ શુક્રવારે પોઝિટિવ આવ્યો છે

સંગઠનના આધારે ડોક્ટર ભાગવતને સામાન્ય તપાસ અને સાવધાનીને માટે નાગપુરની હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસના સંક્રમણના કેસ રોજ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. રોજ 1 લાખથી વધારે નવા કેસ આવી રહ્યા છે. સૌથી વધારે ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની જોવા મળી રહી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.