20થી 30 ટકા લોકોના શરીરમાં,વાયરસ બેકાર કરવાની પ્રક્રિયા ખતમ થવા લાગી

અનેક શહેરમાં સ્થિતિ બેકાબુ થઈ છે. આની વચ્ચે કોરોનાનું રસીકરણ અભિયાન ઝડપથી વધી રહ્યું છે. લોકોના મનમાં આના સંબંધમાં એક સવાલ એ પણ આવે છે કે આટલા લાંબા સમય માટે કોરોના સંક્રમણની વિરુદ્ધ પ્રાકૃતિક ઈમ્યુનિટી બની રહે છે.

પરંતુ કુલ સંક્રમિતોમાંથી 20થી30 ટકા લોકોને 6 મહિના બાદ એક પ્રાકૃતિક ઈમ્યુનિટી ગુમાવી દીધી છે.

આઈજીઆઈબીના ડાયરેક્ટર ડો. અનુરાગ અગ્રવાલે એક ટ્વીટમાં કહ્યુ અધ્યયનમાં જોવા મળ્યુ કે 20થી 30 ટકા લોકોના શરીરમાં વાયરસ બેકાર કરવાની પ્રક્રિયા ખતમ થવા લાગી છે. એવુ ત્યારે થયુ જ્યારે સીરોપોઝિટિવ હતા.

આ શોધ ઘણી મહત્વપૂર્ણ છે કેમ કે આનાથી એ જાણી શકાય છે કે આખરે દેશમાં કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેર ક્યાં સુધી રહેશે. આ રસીના મહત્વની દર્શાવે છે. શોધ હજું પણ ચાલુ છે.

આઈજીઆઈબીના વરિષ્ઠ વૈજ્ઞાનિકો ડો. શાંતનૂ સેન ગુપ્તાએ જણાવ્યું કે સપ્ટેમ્બરમાં અમે સીએસઆઈઆરની લેબમાં સીરો સર્વે કર્યો હતો. જેમાં ફક્ત 10 ટકા પ્રતિભાગિઓમાં વાયરસની વિરુદ્ધ એન્ટબોડી મળી હતી

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.