મતદાન / મોહન ભાગવતે મતદાન કર્યું, કૉંગ્રેસના સાવરકાર વિરોધને રાજનીતિ ગણાવી

વીડિયો ડેસ્કઃમહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે.નાગપુરમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતે મતદાન શરૂ થતાની સાથે જ મતદાન કર્યું હતું.ભાગવતે મતદાન કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું.તેમણે કૉંગ્રેસના સાવરકર વિરોધને રાજનીતિ ગણાવી.ઉલ્લેખનિય છે કે વીર સાવરકરને ભારત રત્ન ઍવોર્ડ આપવાની માંગનો કૉંગ્રેસ વિરોધ કરતી આવી છે.આ ઉપરાંત મોહન ભાગવતે મતદારોને અપીલ કરી હતી કે મુદ્દાઓ પર મતદાન કરે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.