કમલેશ તિવારીના હત્યારાઓનું માથું વાઢનારને આ નેતા આપશે 1 કરોડનું ઇનામ

શિવસેનાના નેતા અરૂણ પાઠક લખનૌમાં કમલેશ તિવારીની હત્યા કરવા બદલ ધરપકડ કરાયેલા ત્રણ લોકોનું શિરચ્છેદ કરવા બદલ 1 કરોડ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે. શિવસેનાના નેતાએ એક વીડિયોમાં કહ્યું કે, મારું માનવું છે કે કમલેશ તિવારીની નિર્દયતાથી હત્યા કરનારાઓ સામે કોઈ કાયદેસરની કાર્યવાહી ન કરવી જોઈએ. તેમનું એજ રીતે માથું કાપી નાખવું જોઈએ. હું, અરૂણ પાઠક, હત્યારાઓનું શિરચ્છેદ કરવા બદલ એક કરોડ રૂપિયાનું ઈનામ જાહેર કરું છું. આ નાણાં તેના પરિવારના સભ્યોને આપવામાં આવશે.

શિવસેનાના નેતાએ કહ્યું કે તિવારીની હત્યા કરવામાં આવી હતી કારણ કે તે હિન્દુઓની તરફેણમાં બોલી રહ્યા હતા અને તેમની હત્યા એક સંદેશ મોકલવાનો પ્રયાસ છે કે હિન્દુઓ સાથે જે કંઈ બોલાશે તે ખતમ કરી દેવામાં આવશે. પાઠકે કહ્યું કે અમે ભારતમાં આવું થવા દઇશું નહીં. શુક્રવારે લખનઉમાં હિન્દુ સમાજ પાર્ટીના અધ્યક્ષ કમલેશ તિવારીની હત્યા કરવામાં આવી હતી. આ પછી તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં તેમનું મોત નીપજ્યું. હુમલાખોરો સ્થળ પરથી ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. ઘટના સ્થળેથી એક રિવોલ્વર મળી આવી છે. તિવારી હિન્દુ મહાસભાના ભૂતપૂર્વ નેતા હતા અને સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા જમીન વિવાદ કેસમાં અપીલ કરી હતી.

તિવારીની હત્યાની તપાસ માટે એક વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ અને ગુજરાત પોલીસની સંયુક્ત ટીમ સુરતથી તિવારીની હત્યાની તપાસ માટે કામ કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.