અમે સતત કેન્દ્ર સરકારના સંપર્કમાં, મદદ પણ મળી રહી છેઃ કેજરીવાલ

રાજધાની દિલ્હીમાં હવે દરરોજ નવા રેકૉર્ડ બનવા લાગ્યા છે. અહીં શનિવારે ગત 24 કલાકમાં કોરોનાના 24,375 નવા કેસ નોંધાયા. એટલ દર કલાકે 1000થી વધુ સંક્રમિત મળ્યા. એક દિવસમાં સૌથી વધુ સંક્રમિતો મળવાનો આ સૌથી મોટો આંકડો છે.

રવિવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરી. તેમણે જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં 24 હજાર કેસ આવ્યા હતા અને તેનાથી છેલ્લા 24 કલાકમાં સાડા 19 હજાર કેસ આવ્યા હતા. આનાથી ખબર પડી રહી છે કે કોરોના ઝડપથી વધી રહ્યો છે. તેનાથી પણ વધુ ચિંતાની વાત એ છે કે દિલ્હીમાં પૉઝિટિવિટી રેટ વધીને 30 ટકા થઇ ગયો. જ્યારે આનાથી 24 કલાક પહેલા સુધી આ 24 ટકા હતો

ડૉ. હર્ષવર્ધન સાથે કાલે સાંજે વાત થઇ હતી તેમને પણ અમે જણાવ્યું કે બેડની જરૂરિયાત છે, અમિત શાહજી સાથે પણ વાત થઇ હતી તો તેમને પણ જણાવ્યું કે બેડની જરૂરિયાત છે.

સીએમ કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં કેન્દ્ર સરકારના કુલ મળીને 10000 બેડ છે જેમાંથી હજુ અંદાજિત 1800 બેડ જ કોરોના માટે રિઝર્વ થયા છે, અમારુ નિવેદન છે કે ઓછામાં ઓછા 7000 બેડ્સ કોરોના માટે રિઝર્વ કરે. આગામી 2-3 દિવસમાં 6000 ઓક્સીજન બેડ અમે તૈયાર કરી લઇશું.

ભારતમાં આજે કોરોના વાયરસના નવા 2,61,500 કેસ સામે આવ્યા છે જ્યારે 1,501 લોકોને પોતાના જીવ ગુમાવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.