અકસ્માત:સુરતથી અમરેલી જતી લક્ઝરી બસને નડ્યો અકસ્માત, જાણો વિગત

આજે વહેલી સવારે સુરતથી અમરેલી જઈ રહેલી બસને ફેદરા પાસે અકસ્માત નડ્યો હતો. જોકે, તેમાં કોઈ જાનહાનિ થઈ નથી.

સુરતથી અમરેલી જતી લક્ઝરી બસને સુરેન્દ્રનગરના ફેદરા પાસે અકસ્માત નડ્યો હતો. આજે વહેલી સવારે 3.30 વાગ્યે ધનાળા પાટીયા પાસે બસ પલ્ટી ખાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે વ્યક્તિને સામાન્ય ઇજા થઈ છે. જોકે, કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી. ફેદરા ૧૦૮એ ઘટના સ્થળે પહોંચી ઘાયલોની સારવાર કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.