64 સ્વસ્થ વોલેન્ટિયર્સની શોધ છે,તમામ લોકોના શરીરમાં કોરોના વાયરસની વુહાન સ્ટ્રેન નાંખવામાં આવશે

કોરોનાની રસીના 2 ડોઝ લીધા બાદ પણ અનેક લોકો સંક્રમિત જોવા મળ્યા છે. જોકે આવા લોકો પર ઓછી અસર જણાઈ રહી છે. હવે રસીને હજું વધારે અસરકારક બનાવવા માટે ઓક્સફોર્ડ યુનિવર્સીટીએ નવી રીતે તૈયારીઓ શરુ કરી છે. આ અંતર્ગત એવા લોકોના શરીરમાં જીવતા વાયરસ નાંખવામાં આવશે. કોરોનાથી સાજા થઈ ચૂક્યા છે.

સમાચાર એજન્સી બ્લૂમબર્ગના જણાવ્યાનુંસાર ઓક્સફોર્ડ યૂનિવર્સીટીના રિસર્ચ કરનારા વૈજ્ઞાનિકોએ આવા 64 સ્વસ્થ વોલેન્ટિયર્સની શોધ છે જે પહેલા કોરોનાને હરાવી ચૂક્યા છે. તેવા લોકોની ઉંમર 18-30 વર્ષની વચ્ચે હોવી જોઈએ. યુનિવર્સીટીના જણાવ્યાનુસાર આ તમામ લોકોના શરીરમાં કોરોના વાયરસની વુહાન સ્ટ્રેન નાંખવામાં આવશે.

કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક મહિનામાં જ આ સ્ટડીનો રિપોર્ટ આવી જશે. આના પરિણામોથી વૈજ્ઞાનિકોને વધારે અસરકારક રસી બનાવવામાં મદદ મળશે. આ ઉપરાંત એ પણ જાણી શકાશે કે ફરી કેટલા દર્દીઓને સંક્રમણ થઈ રહ્યું છે. હાલમાં જ એક રિસર્ચથી જાણી શકાયું છે કે 10 ટકા વયસ્કોમાં કોરોનાના ફરી સંક્રમણ થઈ રહ્યું છે.

અધ્યયનના બીજા ચરણમાં બિમારોના એક ગ્રુપને ડોઝ આપવામાં આવશે અને તેમની ઈમ્યુનિટીનું અધ્યયન કરવામાં આવશે. જો કે દુનિયાના અનેક વૈજ્ઞાનિકોએ આ વાતને લઈને ચિંતા વ્યક્ત કરી છે કે ફરી કોઈના શરીરમાં વાયરસ નાંખવાથી સંકટ વધી શકે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.