હિના ખાનના પિતાનું થયું નિધન,એક્ટ્રેસ શૂટિંગ છોડીને પરત ફરી

યે રિશ્તા ક્યા કહેલાતા હૈથી દરેક ઘરમાં અક્ષરાના નામે જાણીતી બનેલી એક્ટ્રેસના પિતાનું કાર્ડિયાક એરેસ્ટથી નિધન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

જ્યારે હિના ખાનને પિતાના નિધનના સમાચાર મળ્યા કત્યારે તે એક શૂટિંગમાં વ્યસ્ત હતી અને સાથે જ તરત જ મુંબઈની ફ્લાઈટ બુક કરાવીને મુંબઈ આવવા નીકળી હોવાના સમાચાર પણ મળી રહ્યા છે.

એક્ટ્રેસે પિતાની સાથે શાનદાર બોન્ડિંગ સાથે પિતા અને પુત્રીના સંબંધને સુંદરતાથી દેખાડ્યો હતો.

સામાન્ય રીતે હિના ખાન સોશ્યલ સાઈટ્સ પર એક્ટિવ રહે છે. ઉલ્લેખનીય છે હિના ખાન હાલમાં જ માલદીવ્સમાં રજાઓ એન્જોય કરીને આવી હતી અને આ સમયે પિતાના નિધનના સમાચારથી તે ખૂબ જ દુખી છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.