વીજળી પડતા આઠ મહિનાની સગર્ભો રાધાબાઇનું,જગ્યા પર નિપજ્યું હતું મોત

મહારાષ્ટ્રમાં વિવિધ સ્થળે સાથે વીજળી ત્રાટકતા ૧૧ જણને કાળ ભરખી ગયો હતો. મૃતકમાં મહિલા, બાળકીને સમાવેશ છે. સાતારાના ખંડાલા તાલુકામાં કવઠે ગામ પાસે બે ખેડૂત શશિકાંત (ઉ.વ.૩૫), ખાશાબા જાધવ (ઉ.વ.૬૦) ઝૂંપડીમાં બેસીને જમતા હતા.

વીજળી પડતા આઠ મહિનાની સગર્ભો રાધાબાઇનું જગ્યા પર મોત નિપજ્યું હતું. જયારે તેની સાસુ જખમી થઇ હતી. આ ઉપરાંત કેજ તાલુકામાં ખેતરમાં કામ કરતી ગીતાબાઇ (ઉ.વ.૪૫) પર વીજળી ત્રાટકતા તેણે જીવ ગુમાવ્યો હતો.

પરભણીમાં આવી જ ઘટનામાં ૧૧ અને ૧૪ વર્ષીય બાળકી તથા ગંગાધર હોરગુળે (ઉ.વ.૫૫) મોતના મુખમાં ધકેલાયા ગયા હતા.

પુણેના ભોરમાં ઘરથી થોડીદૂર રમવા ગયેલી સીમા (ઉ.વ.૧૧) અને નવ વર્ષીય અનિતાનુ વરસાદ સાથે વીજળી પડતા મોત થયું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.