PM મોદી એક પછી એક દરેક રાજયના, મુખ્યમંત્રી તથા ઉપરાજ્યપાલ સાથે,સ્થિતિની કરે છે સમીક્ષા

દેશભરની પરિસ્થિતિ જાણવા માટે PM મોદી એક પછી એક રાજયનાં મુખ્યમંત્રી સાથે વાતો કરી રહ્યા છે. તે જ સંદર્ભે શનિવારે તેમણે મહારાષ્ટ્રનાં CM ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરી રાજ્યની સ્થિતિ અંગેની તમામ જાણકારી મેળવી હતી.

પહેલા આંધ્રપ્રદેશ, ઓડિશા, ઝારખંડ અને તેલંગાણાનાં મુખ્યમંત્રી સાથે કોરોનાને લઈ ચર્ચા કરી હતી. સાથે સાથે PM મોદીએ જમ્મુ અને કાશ્મીર, ઉપરાંત પોંડિચેરીના ઉપરાજ્યપાલો સાથે વાત કરી સમીક્ષા કરી હતી.

દેશમાં કુલ કોરોનાથી થયેલ મૃત્યુનો અંક 2,38,270 સુધી પહોંચી ગયો છે. જ્યારે રોજ ચાર લાખથી વધુ પોઝિટિવ કેસો નોંધાઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં સરેરાશ દૈનિક 898 મોત થઈ રહ્યા છે

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.