અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં વીજદર ઊંચા હોવાની અનેકવાર ફરિયાદો મળી રહી છે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા હંમેશા વીજ ઉત્પાદિત કરતી કંપનીઓ પાસેથી ઊંચા દરે વીજળી ખરીદવાનું કારણ આગળ ધરીને વારંવાર દરમાં વધારો કરવામાં આવે છે. ત્યારે દિલ્હીમાં 200 યુનિટ વીજદર સામે ત્યાંની પ્રજાને એક પણ પૈસો બિલ આવતું નથી, જ્યારે ગુજરાતમાં આટલા યુનિટે પ્રજાને 1418 રૂપિયાનું મોટું બિલ ચૂકવવું પડે છે. આ તફાવત અંગે ખુદ રાજ્યના ઊર્જા પ્રધાને કબુલાત કરી કે રાજ્યમાં દર વધારે છે અને તે ગુજરાત ઈલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન દ્વારા નક્કી કરવામાં આવે છે. તો પછી ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સારા કે દિલ્હીના મુખ્ય પ્રધાન કેજરીવાલ સારા એવો પ્રશ્ન ગુજરાતના લોકો પૂછી રહ્યાં છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લાં કેટલાંક સમયથી રાજ્યમાં વીજળી પુરવઠો પૂરી પાડતી વિવિધ કંપનીઓ જેવી કે ગુજરાત વિદ્યૂત બોર્ડ, ટોરેન્ટ પાવર લિ. વગેરે દ્વારા વખતો વખત વીજદરમાં ધરખમ વધારો કરવામાં આવે છે. જેના પગલે પ્રજાની કમર ભાંગી જાય છે. આ સંજોગોમાં અગાઉ પણ અનેકવાર રાજ્ય સરકાર સમક્ષ લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ આજદિન સુધી સરકારે આ વીજદર ઘટાડવા કે માફી કરવાની વિચારણા પણ કરી નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.