રાજ્ય સરકારના આંકડાઓમાં અસમંજસતા,સરકારના જણાવ્યા અનુસાર 700 દર્દીઓ વેન્ટિલેટર પર

રાજ્યમાં કોરોના વાયરસઆ દર્દીઓની સંખ્યા વધી રહી છે અને દરરોજ હજારોની સંખ્યામાં લોકો આ મહામારીની ઝપેટમાં આવી રહ્યા છે ત્યારે રાજ્યની સરકાર તથા તંત્ર આંકડાઓના ખેલમાં હોય તેવું દેખાઈ રહ્યું છે. અત્યાર સુધી તંત્ર પર આરોપ લાગતાં હતા કે તંત્ર મોતના આંકડાઓમાં ખેલ કરે છે અને ઓછા મોત દર્શાવવામાં આવે છે પરંતુ હવે વેન્ટિલેટરના આંકડાઓમાં પણ રમત રમાતી હોવાનું સામે આવી રહ્યું છે.

હવે ગુજરાત રાજ્યમાં કુલ વેન્ટિલેટર 6,574 છે સરકાર જ કહે છે કે 5800 જેટલા વેન્ટિલેટર ઉપલબ્ધ છે. સર્વવિદિત છે કે ગુજરાતમાં ગંભીર દર્દીઓને વેન્ટિલેટર બેડ નથી મળી રહ્યા અને મળે તો ભારે જહેમત કરવી પડે એવામાં સવાલ ઊભો થાય છે કે જો સરકારના આંકડા સાચા હોય તો આ હજારો વેન્ટિલેટર છે ક્યાં?

ભારત અત્યારે કોરોના વાયરસની બીજી ભયંકર લહેરનો સામનો કરી રહ્યો છે. આ લહેરમાં છેલ્લા ઘણા દિવસથી દરરોજ ત્રણથી ચાર લાખ કોરોના વાયરસના કેસ સામે આવી રહ્યા છે. આ સિવાય હોસ્પિટલોમાં બેડનો અભાવ અને ઑક્સીજન મળી નથી રહ્યો

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 11,892 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે આજે સતત બીજા દિવસે 119 લોકોના મોત નિપજ્યા છે. તો પ્રથમ ઘટના છે કે, કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસ કરતા બીજી વખત સાજા થનારનો આંકડો વધુ છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સતત બીજા દિવસે 119 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 8273 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.