ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય,આવતીકાલે મુખ્યમંત્રી પદના લેશે શપથ

કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમારે આ માહિતી આપી. આ અગાઉ, વિદાય થયેલ મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે રવિવારે જ રાજ્યપાલ જગદીશ મુખીને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું.

દિલ્હીમાં બેઠક બાદથી એવી અટકળો ચાલી રહી હતી કે આસામની કમાન હિંમંતા બિસ્વા સરમાને સોંપવામાં આવી શકે છે, જ્યારે સોનોવાલને ફરીથી દિલ્હી બોલાવી શકાય છે.

આના નિરાકરણ માટે કેન્દ્રીય નેતૃત્વએ શનિવારે વિદાય લેતા મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ અને રાજ્યના આરોગ્ય પ્રધાન અને મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદાર હેમંત બિસ્વા સર્માને દિલ્હી બોલાવીને તેમની સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. આ બેઠક ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાના નિવાસસ્થાને લગભગ ત્રણ કલાક સુધી ચાલી હતી. આ સમયગાળા દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ અને પાર્ટીના રાષ્ટ્રીય સંગઠન પ્રધાન બી.એલ. સંતોષ પણ હાજર રહ્યા હતા.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.