મોટા ભાગના દર્દી મુંબઈથી બહાર રહેનારા,એન્ટીફંગલ દવા એંફોટિરિસિન બીની ખરીદી કરી રહી

બીએમસીએ બુધવારે જાણકારી આપી છે કે મુંબઈમાં બ્લેક ફંગસથી પીડિત લગભગ 111 દર્દીની સારવાર વિભિન્ન હોસ્પિટલોમાં ચાલી રહી છે. આ તમામ દર્દી કોરોનાથી રિકવર થઈ ચૂક્યા છે. હકિકતમાં આ જાણકારી બીએમસીના નેતા પ્રભાકર શિંદેની માંગ પર પુરી પાડવામાં આવી છે.

હવે આ પેનલ નક્કી કરશે કે તમામ હોસ્પિટલોમાં દર્દીની સારવાર કેવી રીતે કરવામાં આવશે. બીએમસીની સેન્ટ્રલ પરચેજ ઓથોરિટી એન્ટીફંગલ દવા એંફોટિરિસિન બીની ખરીદી કરી રહી છે. જેને બ્લેક ફંગલના સારવાર  માટે ઉપયોગમાં લેવાશે.

કાકાનીનું કહેવું છે કે બ્લેક ફંગસની બિમારી સંક્રમક નથી. કોવિડ હોસ્પિટલોમાં ડોક્ટર આ બિમારીની સારવારમાં દક્ષ છે. જો આ રોગ જલ્દી પકડી લેવામાં આવે તો સમગ્ર રીતે સારવાર શક્ય છે. ઉલ્લેખનીય છે કે બુધવારે થાનેના એક સ્વસ્થ્ય અધિકારીએ કહ્યુ તે બે દર્દીનું બ્લેક ફંગસના કારણે મોત થયું છે અને અન્ય 6ની સારવાર ચાલી રહી છે.

બ્લેક ફંગસ અથવા મ્યૂકોરમાઈકોસિસ એક ફફુંદ મ્યૂકોરથી ફેલાય છે જે ભેજવાળી સપાટી પર જોવા મળે છે. આ સૌથી વધારે આંખને સૌથી વધારે અસર કરે છે

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.