રાજ્ય સરકારે એવો નિર્ણય કર્યો હતો કે, કોરોનાની બિમારીમાં માતાપિતા ગુમાવનારાં,અનાથ-નિરાધાર બાળકને દર મહિને,રૂા.4 હજારની કરવામાં આવશે સહાય

ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. કેટલાંય બાળકોએ કોરોનાથી સંક્રમિત માતા-પિતા ગુમાવ્યાં છે. આ અનાથ બાળકો માટે રૂપાણી સરકાર મદદે આવી છે.

જોકે, હવે થોડાક રાહતના સમાચાર એછે કે, શહેરોમાં કોરોનાના કેસો ઘટી રહ્યાં છે અને રિકવરી રેટ પણ વધી રહ્યો છે. આ સંજોગોમાં કેટલાંય માસુમ બાળકો એવા છે જેમણે કોરોના સંક્રમણને લીધે માતાપિતાની છત્રછાયા ગુમાવી દીધી છે

રાજ્ય સરકારે એવો નિર્ણય કર્યો હતો કે, કોરોનાની બિમારીમાં માતાપિતા ગુમાવનારાં અનાથ-નિરાધાર બાળકને દર મહિને રૂા.4 હજારની સહાય કરવામાં આવશે. આ અનાથ બાળકને 18 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવશે

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.