કૉંગ્રેસના થશે વળતાં પાણી આ નેતા પણ થયા BJPમાં સામેલ

ઉત્તર પ્રદેશમાં બે વાર કાર્યવાહક મુખ્યમંત્રી ડો. અમ્માર રિઝવી બુધવારના દિવસે બીજેપીમાં સામેલ થયા છે. રિઝવી ઉત્તર પ્રદેશ વિધાન પરિષદમાં નેતા પ્રતિપક્ષમાં રહેવાની સાથે પાંચ વાર મંત્રી પણ રહ્યા છે. અમ્માર રિઝવી છેલ્લાં પાંચ દશક કોંગ્રેસની રાજનીતિમાં રહ્યા હતા. તેમણે એપ્રિલમાં જ કોંગ્રેસના બધા પદો પરથી રાજીનામું આપી દીધું હતું. બીજેપીમાં સામેલ થયા બાદ ડો. રિઝવીએ કહ્યું કે બીજેપીની જે સ્થિતિ છે તેને દૂર કરવાની કોશિશ કરશે.

રિઝવીને બીજેપીના મહાસચિવ અરુણ સિંહની પાર્ટીમાં સામેલ કરવામાં આવ્યા છે. છેલ્લા વર્ષે પ્રધાનમંત્રીએ તેને સાઉદી અરબના ગુડવિલ અંબેસડર બનાવ્યા હતા. 2019ની ચૂંટણી દરમિયાન રિઝવીએ કોંગ્રેસ પાર્ટી પર દલબદલુઓ પર મહત્ત્વનો આરોપ લગાવ્યો હતો અને રાષ્ટ્રીય અને પ્રાંતીય સંગઠનના પદો પરથી રાજીનામું આપ્યું હતું. જોરે રિઝવી કોંગ્રેસ પાર્ટીના હજુ પણ પ્રાથમિક સદસ્ય છે કેમ કે તેની સાથે જોડાયેલું રાજીનામું હજુ સુધી આપ્યું નથી.

શું કહ્યું અમ્માર રિઝવીએ?
બીજેપીના મુખ્યાલયમાં પાર્ટીનું સદસ્યતા ગ્રહણ કર્યા બાદ જ્યારે તે સાઉદી અરબ હજ કરવા ગયા હતા મોદીજીના ઘણાં વખાણ સાંભળવા મળ્યા હતા. અને કાશ્મીર અનુચ્છેદ 370 દૂર થવા જેવા કેટલાક નિર્ણયો પછી તેણે બીજેપી સાથે જોડાવાનો નિર્ણય લીધો હતો. ડો, અમ્માર રિઝવીએ કહ્યું કે બીજેપી મુસલમાનોને દુશ્મન બતાવીને વિરોધ પક્ષની કોમને ડરાવી છે અને જે સાચું નથી. આ હકીકત નથી. તેમણે બીજેપી અધ્યક્ષ અમિત શાહ, પાર્ટીના કાર્યકર અધ્યક્ષ જે.પી.નડ્ડા અને મહાસચિવ અરુણ સિંહ જેવા નેતાઓના નિર્દેશનમાં કામ કરશે. ડૉ. રિઝવી મુજબ, તે 1966માં ઈંદિરા ગાંધીના કહેવા પર તે કોંગ્રેસની રાજનીતિમાં જોડાયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.