જો આપ સાચી રીતે સૂવો તો તમને બનાવી શકે છે સમૃદ્ન, વાસ્તુનાં આ નિયમોનું કરો પાલન.

લોકો દિવસે કામ કરીને થાકેલાં શરીરને રાત્રે આરામ આપવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.પરંતુ સારી નિંદ્રાની સાથે તે પણ મહત્વનું છે કે તેની સાથે જોડાયેલી કેટલીક બાબતોનું પાલન કરવું જોઈએ. ઊંઘને લગતા કેટલાક નિયમો હિન્દુ ધર્મ શાસ્ત્રમાં અને ખાસ કરીને વાસ્તુ શાસ્ત્રમાં આપવામાં આવ્યા છે. તેમનું પાલન કરવાથી વ્યક્તિનું શારીરિક-માનસિક આરોગ્ય, આર્થિક સ્થિતિ વગેરે સારી રહે છે. આજે આપણે જાણીએ કે સૂતી વખતે દિશાઓ, ઊંઘની રીત, સ્થાનો વગેરેની કાળજી લેવી કેવી રીતે અને કેમ મહત્વપૂર્ણ છે.

સૂતી વખતે આ મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખો;
વાસ્તુ મુજબ પૂર્વ દિશા તરફ માથું રાખીને સૂવું શુભ છે. આ સકારાત્મકતા અને એકાગ્રતામાં વધારો કરે છે. પશ્ચિમમાં તરફ માથું રાખીને સૂવું પણ સારું છે, તે યશ અને કીર્તિ વધારે છે.

દક્ષિણ તરફ તમારું માથું રાખી સૂવાથી નકારાત્મક વિચારો નથી આવતા. આ દિશામાં માથું રાખીને સૂવાથી તણાવ થતો નથી. આ સિવાય દક્ષિણ દિશામાં માથું રાખીને સૂવાથી સુખ અને સમૃદ્ધિ વધે છે.

શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે વ્યક્તિએ ક્યારેય તૂટેલી પલંગ પર અથવા ગંદા પલંગ પર સૂવું ન જોઈએ.

વ્યક્તિએ ક્યારેય એંઠા મોઢે સૂવું જોઈએ નહીં. સુતા પહેલા હંમેશા હાથ-પગ ધોઈ લો.

ક્યારેય નિર્વસ્ત્ર ન સૂવું.

નિર્જન મકાન, સ્મશાન, મંદિરના ગર્ભગૃહ અને અંધારા ઓરડામાં ક્યારેય સૂતા નહીં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.